Aarakshan Movie True Story in Rajkot City
“બે જ પક્ષો હોય તો લેભાગુઓ સ્વાર્થ માટે તોડજોડ ન કરે. પ્રદેશવાદ-જાતિવાદને ઉત્તેજન લોકશાહી માટે ખતરનાક છે. પ્રમુખપદ્ધતિ કરતાં આપણી પદ્ધતિ બરાબર છે.”
જન્મ : ૧૬ માર્ચ, ૧૯૫૫, જનડા (જસદણ)
પિતા : મોહનભાઈ
પુત્ર : ૧, પુત્રી : ૨
અભ્યાસ : બી.એસસી., બી.એડ્.,
વ્યવસાય : ખેતી, શિક્ષણ
ભાજપનો ગઢ તોડનાર શિક્ષક
કુંવરજીભાઈએ વીંછિયામાં શિક્ષક તરીકે નોકરી કરવાની સાથે સાથે સામાજિક કાર્યો પણ કર્યા હતાં. તેમણે વીંછિયા ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ફોર્મ ભર્યા બાદ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યોહતો. જસદણની બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભ્ય બન્યા બાદ ૨૦૦૯માં તેઓ પક્ષના આદેશથી ભાજપના ગઢ ગણાતા રાજકોટમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને આ બેઠક જીતીને સનસનાટી મચાવી હતી. તેઓ અત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ પણ છે. તેમને કોઈ વિશેષ અણગમા નથી. તેઓ તો ત્યાં સુધી કહે છે કે અણગમામાંથી પસાર થઈએ એ જ રાજકારણ.
સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવાની ગળથૂથી પીધી
તેઓ વ્યાવહારિક કામોમાં સમય ન ફાળવી શકે ત્યારે તેમનાં કુટુંબીજનો તેમનાથી નારાજ થાય છે. તેમનું કહેવું છે કે તેઓ જરૂર જણાશે તો જ તેમનાં સંતાનોને રાજકારણમાં લાવશે, પરંતુ શોખથી તો નહીં જ લાવે. તેઓ કરમશીભાઈ મકવાણાને તેમના આદર્શ માને છે, જેમણે રાજકારણમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવાની તેમને ગળથૂથી પીવડાવી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે સોનિયા ગાંધી સાથે સભા કરી હતી, જે રાજકારણમાંની તેમની યાદગાર ક્ષણ છે. આ ઉપરાંત તેમને કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ અને લોકસભાની ચૂંટણી જીતવામાં રાજકોટની પ્રજાની જે હૂંફ મળી તે તેમના માટે યાદગાર પ્રસંગો બની ગયા છે. જો તેઓ રાજકારણમાં ન હોત તો શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ વઘ્યા હોત અને પરિવારને આર્થિક સઘ્ધરતા આપી શકયા હોત. તેમણે કોઈ હોદ્દાની માગણી કરી નથી. તેઓ સૌનો વિશ્વાસ સંપાદિત કરીને આપબળે પક્ષની સાથે ચાલવામાં માને છે. તેમણે કોઈને રાજકીય રીતે પ્રમોટ કર્યા હોય અને તે જ્યારે બેવફાઈ કરે એવા એક-બે નિર્ણયો બાદ તેમને અફસોસ થયો છે.
પ્રજાની સમસ્યાઓ ઉકેલવામાં સફળ
કુંવરજીભાઈએ કોઈ પણ પ્રજાકીય સમસ્યા સમયે લોકોના પડખે રહી સમસ્યાનો ઉકેલ લાવવા દિલથી પ્રયાસો કર્યા છે. તેમનું કહેવું છે કે વિરોધપક્ષના વિધાનસભ્ય તરીકે નીતિવિષયક પ્રશ્નોના હલમાં મુશ્કેલી પડી હતી, પરંતુ પ્રજાની સમસ્યાઓ દૂર કરવામાં તેમને મોટે ભાગે સફળતા મળતી રહી છે.
લોકશાહીનું સાચું ચિત્ર જોવાની વ્યવસ્થા કરવી છે
તેઓ તેમના મતવિસ્તારમાં રોજીરોટીના પ્રશ્નો હલ થાય અને વિકાસની યોજનાઓનું સચોટ અમલીકરણ થાય તેના માટે હંમેશાં જાગૃત રહે છે. જો તેઓ દેશના વડા બને તો લોકશાહીનાં મૂલ્યો જાળવવા લોકો નિર્ભયપણે જીવી શકે તેવી શાસનવ્યવસ્થા અને લોકો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિને મળી શકે તેવી પ્રણાલી ઊભી કરે. તેઓ દેશના વિકાસ આડે આવતાં કોઈ પણ પરિબળો સાથે સમજૂતી નહીં કરે. તેઓ નાનામાં નાના માણસથી માંડીને ટોચના લોકોને લોકશાહીનું સાચું ચિત્ર જોવા મળે તેવી વ્યવસ્થા ઊભી કરે અને વડાપ્રધાન પોતાના જ છે તેવી અનુભૂતિ દરેકને કરાવવાનો પ્રયાસ કરે.
ઓછું મળે તો ખોટું કરવાની લાલચ થાય ને?
કુંવરજીભાઈના મતાનુસાર મંદીનો સામનો કરવા માટે ગ્રામ રોજગાર અને કૃષિને વેગ મળે તે જરૂરી છે. આજના રાજકારણીઓ સામે પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવાનો અને તેમની વરચે કાર્યકર બનીને રહેવાનો પડકાર છે. પક્ષપલટો કરતા લોકોને કાઢી મૂકવા જોઈએ, કારણ કે સિદ્ધાંતો સાથે સમાધાન કરે તેવા લોકો ચાલે જ નહીં. ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમનાં ઘર-પરિવાર બરાબર ચાલે તેટલાં પોષણક્ષમ ભથ્થાં-લાભો મળવાં જોઈએ. ઓછું મળે તો ખોટું કરવાની કોઈને લાલચ થાય ને? તેમનું માનવું છે કે આદર્શ નેતા લોકશાહીના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરતો હોવો જોઈએ. સરપંચથી માંડીને સાંસદ સુધીના વિવિધ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત જરૂરી છે.
“બે જ પક્ષો હોય તો લેભાગુઓ સ્વાર્થ માટે તોડજોડ ન કરે. પ્રદેશવાદ-જાતિવાદને ઉત્તેજન લોકશાહી માટે ખતરનાક છે. પ્રમુખપદ્ધતિ કરતાં આપણી પદ્ધતિ બરાબર છે.”
જન્મ : ૧૬ માર્ચ, ૧૯૫૫, જનડા (જસદણ)
પિતા : મોહનભાઈ
પુત્ર : ૧, પુત્રી : ૨
અભ્યાસ : બી.એસસી., બી.એડ્.,
વ્યવસાય : ખેતી, શિક્ષણ
ભાજપનો ગઢ તોડનાર શિક્ષક
કુંવરજીભાઈએ વીંછિયામાં શિક્ષક તરીકે નોકરી કરવાની સાથે સાથે સામાજિક કાર્યો પણ કર્યા હતાં. તેમણે વીંછિયા ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ફોર્મ ભર્યા બાદ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યોહતો. જસદણની બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભ્ય બન્યા બાદ ૨૦૦૯માં તેઓ પક્ષના આદેશથી ભાજપના ગઢ ગણાતા રાજકોટમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને આ બેઠક જીતીને સનસનાટી મચાવી હતી. તેઓ અત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ પણ છે. તેમને કોઈ વિશેષ અણગમા નથી. તેઓ તો ત્યાં સુધી કહે છે કે અણગમામાંથી પસાર થઈએ એ જ રાજકારણ.
સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવાની ગળથૂથી પીધી
તેઓ વ્યાવહારિક કામોમાં સમય ન ફાળવી શકે ત્યારે તેમનાં કુટુંબીજનો તેમનાથી નારાજ થાય છે. તેમનું કહેવું છે કે તેઓ જરૂર જણાશે તો જ તેમનાં સંતાનોને રાજકારણમાં લાવશે, પરંતુ શોખથી તો નહીં જ લાવે. તેઓ કરમશીભાઈ મકવાણાને તેમના આદર્શ માને છે, જેમણે રાજકારણમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવાની તેમને ગળથૂથી પીવડાવી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે સોનિયા ગાંધી સાથે સભા કરી હતી, જે રાજકારણમાંની તેમની યાદગાર ક્ષણ છે. આ ઉપરાંત તેમને કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ અને લોકસભાની ચૂંટણી જીતવામાં રાજકોટની પ્રજાની જે હૂંફ મળી તે તેમના માટે યાદગાર પ્રસંગો બની ગયા છે. જો તેઓ રાજકારણમાં ન હોત તો શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ વઘ્યા હોત અને પરિવારને આર્થિક સઘ્ધરતા આપી શકયા હોત. તેમણે કોઈ હોદ્દાની માગણી કરી નથી. તેઓ સૌનો વિશ્વાસ સંપાદિત કરીને આપબળે પક્ષની સાથે ચાલવામાં માને છે. તેમણે કોઈને રાજકીય રીતે પ્રમોટ કર્યા હોય અને તે જ્યારે બેવફાઈ કરે એવા એક-બે નિર્ણયો બાદ તેમને અફસોસ થયો છે.
પ્રજાની સમસ્યાઓ ઉકેલવામાં સફળ
કુંવરજીભાઈએ કોઈ પણ પ્રજાકીય સમસ્યા સમયે લોકોના પડખે રહી સમસ્યાનો ઉકેલ લાવવા દિલથી પ્રયાસો કર્યા છે. તેમનું કહેવું છે કે વિરોધપક્ષના વિધાનસભ્ય તરીકે નીતિવિષયક પ્રશ્નોના હલમાં મુશ્કેલી પડી હતી, પરંતુ પ્રજાની સમસ્યાઓ દૂર કરવામાં તેમને મોટે ભાગે સફળતા મળતી રહી છે.
લોકશાહીનું સાચું ચિત્ર જોવાની વ્યવસ્થા કરવી છે
તેઓ તેમના મતવિસ્તારમાં રોજીરોટીના પ્રશ્નો હલ થાય અને વિકાસની યોજનાઓનું સચોટ અમલીકરણ થાય તેના માટે હંમેશાં જાગૃત રહે છે. જો તેઓ દેશના વડા બને તો લોકશાહીનાં મૂલ્યો જાળવવા લોકો નિર્ભયપણે જીવી શકે તેવી શાસનવ્યવસ્થા અને લોકો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિને મળી શકે તેવી પ્રણાલી ઊભી કરે. તેઓ દેશના વિકાસ આડે આવતાં કોઈ પણ પરિબળો સાથે સમજૂતી નહીં કરે. તેઓ નાનામાં નાના માણસથી માંડીને ટોચના લોકોને લોકશાહીનું સાચું ચિત્ર જોવા મળે તેવી વ્યવસ્થા ઊભી કરે અને વડાપ્રધાન પોતાના જ છે તેવી અનુભૂતિ દરેકને કરાવવાનો પ્રયાસ કરે.
ઓછું મળે તો ખોટું કરવાની લાલચ થાય ને?
કુંવરજીભાઈના મતાનુસાર મંદીનો સામનો કરવા માટે ગ્રામ રોજગાર અને કૃષિને વેગ મળે તે જરૂરી છે. આજના રાજકારણીઓ સામે પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવાનો અને તેમની વરચે કાર્યકર બનીને રહેવાનો પડકાર છે. પક્ષપલટો કરતા લોકોને કાઢી મૂકવા જોઈએ, કારણ કે સિદ્ધાંતો સાથે સમાધાન કરે તેવા લોકો ચાલે જ નહીં. ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમનાં ઘર-પરિવાર બરાબર ચાલે તેટલાં પોષણક્ષમ ભથ્થાં-લાભો મળવાં જોઈએ. ઓછું મળે તો ખોટું કરવાની કોઈને લાલચ થાય ને? તેમનું માનવું છે કે આદર્શ નેતા લોકશાહીના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરતો હોવો જોઈએ. સરપંચથી માંડીને સાંસદ સુધીના વિવિધ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત જરૂરી છે.

No comments:
Post a Comment